શુક્રવાર, 8 મે, 2015

બોધકથા - 3


જીવનમાં ચારિત્ર્યનું ખુબ જ મહત્વ છે.


એકવાર અર્જુન ઇન્દ્રસભામાં મહેમાન હતો,
સ્વર્ગની અપ્સરા ઉર્વશીનું નૃત્ય ચાલતું હતું.
શાસ્ત્રીય નૃત્યમાં સૌ મગ્ન હતા.
અર્જુન પણ તાલ-ઠેકા-સંગીતમાં રસબોળ થઈને ઉર્વશીની અંગભંગી-આંખોની મસ્તી માણતો હતો.
ખરેખર તો આ માત્ર અર્જુનનો નૃત્ય પ્રેમ હતો, પણ ઇન્દ્રને થોડીક ગેરસમજ થઇ.

નૃત્યની પૂર્ણાહુતિ પછી એમણે ઉર્વશીને બોલાવીને અર્જુનની આગતા સ્વાગતા કરવા માટે સુચન કર્યું.
ઉર્વશી ઇન્દ્રની મનોવૃત્તિ સમજી ગઈ અને રાત્રે અર્જુનની સેવામાં પહોચી ગઈ.

વાર્તા-વિનોદ થયા, અન્ય વાતો થઇ...
પછી ઉર્વશીના ભાવ-ભંગીની અને અંગોની મસ્તી જોઈ અર્જુન બધું સમજી ગયો,
પણ પોતાને 12 વર્ષનું બ્રહ્મચર્ય નું વ્રત હોવાથી ઉર્વશીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, 
"માતાજી, આપના પ્રત્યે મારો એવો કોઈ જ ભાવ નથી...!!"

ઉર્વશીને હવે પોતાની જાતનું અપમાન લાગ્યું,
અને અર્જુનને શાપ દીધો કે,"તું એક વર્ષ સુધી નપુંસક રહીશ...!!"

અર્જુને એ શાપનો સ્વીકાર કર્યો.
જે તેને વનવાસ પછીનાં એક વર્ષનાં અજ્ઞાત વાસ દરમ્યાન ઉપયોગી થયો.
એક વર્ષનાં નપુંસકપણાનો શાપ તેને આશીર્વાદ રૂપ સાબત થયો. 

શાપ સ્વીકાર્યો પણ પોતાનું બ્રહ્મચર્ય વ્રત છોડ્યું નહીં.

ચારિત્ર્યનાં સદગુણને કારણે વિદ્યા અને વિવેક વધારે પ્રભાવશાળી થાય છે.
અર્જુન આવો જ ચારિત્ર્યશીલ હતો તેથી જ તે ધનુર્વિદ્યામાં અજોડ અને વિવેકમાં શ્રેષ્ઠ હતો.

સૌ માતા-પિતા, શિક્ષકો તથા વાલીઓ પોતાનાં બાળકોમાં આવા જ ઉચ્ચ મૂલ્યોનું સંવર્ધન કરે એવી આશા રાખીએ. 
સુપ્રભાતમ... _/\_

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.