બુધવાર, 13 મે, 2015

બોધકથા - 6

'ચાપલુસીયો' રાક્ષસ...!!


એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. 
એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...!!
અને પછી એની પાસે કામ કરાવવા લાગ્યો. 
સાચા-ખોટાં, કાયદાની કલમમાં ન હોય એવાં, પરિપત્રોની બહારનાં... 
બધા જ કામ કરાવવા લાગ્યો. 
પરિણામે માણસ ખુબ જ ટેન્શનમાં આવવા લાગ્યો. 
હાઈ બી.પી., લો બી.પી., ટેન્શન વગેરે જેવા જે જે વધવા જોઈએ એ બધા જ રોગો તેને વધવા લાગ્યા...!!

કામમાં જરાપણ આનાકાની કરે તો 'હાઉ...' 'હાઉ...' કરીને બીવડાવે, 
અને ક્યારેક ક્યારેક તો 'ખાઈ જઈશ' ની ધમકી પણ આપે !! 
 
માણસ કંટાળ્યો, 
એણે વિચાર્યું કે એક વખત તો મરવાનું જ છે, 
તો પછી આ રોજ રોજ મરવા કરતાં એક જ વાર મરવું શું ખોટું ?
એમ વિચારીને તેણે એક દિવસ હિંમત એકઠી કરીને રાક્ષસને કહ્યું "ખાઈ જા...!!"

- અને રાક્ષસ ડઘાઈ ગયો...!!

આપણા નોકરીનાં સ્થળનું પણ આવું જ છે...!!

આપણા નેતાઓ અને અધિકારીઓની વચ્ચેનો તાલમેળ 'બદલી' અથવા 'બઢતી' નાં ભયથી જ હોય છે...!!
પેલાને મૌખિક હુકમો આપવાનાં હોય અને કાયદાનાં સકંજામાં તો 'સાહેબ' જ આવે...!! 
આપણા 'સાહેબો' માં સ્પષ્ટ પણે 'ના' કહેવાની હિંમત હોતી નથી અને પરિણામે તેઓ સજા ભોગવે છે (જેમ કે, ડી.જી. વણઝારા એન્ડ કંપની).

આપણામાં અને આપણા 'સાહેબો'માં યોગ્ય સમયે 'નાં' કહેવાની હિંમત આવે એવી પ્રાર્થના સાથે...

_/\_ પ્રણામ 
સુપ્રભાતમ.

1 ટિપ્પણી:

  1. અજ્ઞાતમે 15, 2015

    વાહ,
    શિક્ષણ અને રાજકારણને 'આડેહાથ' લ્યો છો...
    લેતા જ રહો,
    મજા આવે છે...!! :) :D

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.