ગુરુવાર, 22 માર્ચ, 2018

માર્ચ 22

       તમે સાચું જ કાર્ય કરવાને, સાચો જ માર્ગ લેવાને તીવ્રપણે ઝંખો છો ત્યારે તમે એ કરો છો. તમારા માર્ગમાં આવી પડનારાં પ્રલોભનોનું સ્વરૂપ પિછાણી શકવા અને તેમનો સામનો કરી શકવા જેટલાં મજબૂત તમારે બનવું જોઈએ.
તમે પ્રલોભન પર વિજય મેળવો છો ત્યારે દરેક વખતે તમને એમાંથી એક આંતરિક શક્તિ અને સ્થિરતા મળે છે અને એ તમને કોઈ પણ બાબતનો દ્રઢતાથી સામનો કરવાને શક્તિમાન બનાવે છે.
મારી રીતો ઘણી વિચિત્ર છે, પણ યાદ રાખો કે મારી દ્રષ્ટિમાં આખુંય ચિત્ર છે, જ્યારે તમે એનો માત્ર થોડોક અંશ જ જુઓ છો.
જીવનના ખેલમાં હું સઘળાં અભિનેતાઓને જોઉં છું,
તમે સાવ તમારી નજીકના હોય તેમને જ જુઓ છો.
એક પછી એક હું તેમને માર્ગ બતાવું છું,
તેઓ એને અનુસરે છે અને એ આખીય વિશાળ યોજનામાં તેમની ભૂમિકા ભજવે છે.
આમ યોજના પૂર્ણ રૂપમાં ઉદ્દઘાટિત થતી જાય છે.
એનું આ ઊઘડવું જુઓ અને એની અદ્દભૂતતામાં રાચો.
કૃતજ્ઞ હૃદયથી, ભરપૂર હૃદયથી એનો સ્વીકાર કરો અને જે કાંઈ બની રહ્યું છે તેમાં મારો હાથ નિહાળો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.