શુક્રવાર, 23 માર્ચ, 2018

માર્ચ 23

     ભરપૂરતા વિચારવાનું અત્યારથી જ કેમ ન શરૂ કરી દો ? ગરીબ હોવું એ સદગુણ નથી એ બાબત બરોબર જાણી લો. ધન પોતે સારી કે ખરાબ વસ્તુ નથી એ તમે સમજો એવી મારી ઈચ્છા છે.
એ માત્ર છે.
એ ઉપયોગ કરવા માટે છે.
પૈસા સંગ્રહ કરવા માટે નથી, એને ફરતા રાખવા જોઈએ.
એ શક્તિ છે અને શક્તિ સાથે શાણપણપૂર્વક કામ પાડવું જોઈએ.
વીજળી શક્તિ છે અને તમે એને મૂર્ખતાપૂર્વક વાપરતાં નથી.
એમ કરવા જાઓ તો એ તમારો વિનાશ કરે.
તો પછી પૈસાનો ઉપયોગ શા માટે બેજવાબદારીપૂર્વક કરવો ?
જ્યારે તમે આત્માની સાચી સ્વતંત્રતા સ્વીકારી શકશો ત્યારે તમે મર્યાદિતતાના, અભાવના બધા ખ્યાલો ખંખેરી નાખી શકશો.
તમારી પાસે જે કાંઈ છે તે બધું વિવેકપૂર્વક વાપરતાં શીખો, એવી સમજ સાથે કે હું તમને જે બક્ષુ છું તે સઘળું મારા યશ ને મહિમા માટે વપરાવું જોઈએ.
મારી સઘળી સુંદર અને સંપૂર્ણ ભેટોના તમારે સારા કારભારી થવું જોઈએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.