દરેક બ્રાહ્મણ માટે અતિ અગત્યનું જાણવા જેવું.
ગાયત્રી મંત્રની વ્યાહૃતિઓ અને અગ્નિહોત્રનું માહાત્મ્ય જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીએ કહ્યું હતું-
''ગાયત્રીના મહિમાનું વર્ણન કરવું એ મનુષ્યની શક્તિની બહારની વાત છે. બુદ્ધિ હોવી એ એક એવું મોટું કાર્ય છે જેની બરોબરી સંસારના બીજા કોઈ કાર્યથી આવી શકતી નથી.
આત્મજ્ઞાાન મેળવવા માટેની દિવ્ય દૃષ્ટિથી જે બુદ્ધિથી મળે છે એની પ્રેરણા ગાયત્રી દ્વારા મળે છે.
ગાયત્રી એ આદિ મંત્ર છે.'' સ્કંદપુરાણની સૂક્ત સંહિતામાં ગાયત્રી મંત્રના સંદર્ભમાં કહેવાયું છે -
યો નોસ્માકં ધિયશ્ચિન્તાન્યન્તર્યામિ સ્વરૃપત : ।
પ્રચોદયાત્ પ્રેરયેચ્ય તસ્ય દેવસ્ય સુવ્રતા : ।।
''અમારી બુદ્ધિ તેમજ વિચારોને અંતર્યામી સ્વરૃપે શુભ કર્મોમાં જે પ્રેરિત કરે છે એનું અમે વ્રત કરીએ."
