સોમવાર, 9 જાન્યુઆરી, 2012

રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટની સુવિધા હોતી નથી

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે... ગીતનું ખરું દર્દ તો કોઈ આપણાથી છૂટી જાય, થોડા સમય માટે દૂર ચાલ્યું જાય કે પછી ફરી ક્યારેય પાછું ન આવી શકે એટલું દૂર થઈ જાય ત્યારે વિશેષ અનુભવાતું હોય છે.
 અંગત દિલ-ઓ-જાનની વિદાય ટૂંકા ગાળાની હોય કે કાયમી, તે વસમી જ હોય છે.
 વિદાય વસમી નીવડવાનું સૌથી મોટું કારણ એ છે કે કોઈ વહાલી વ્યક્તિનું રિપ્લેસમેન્ટ ક્યારેય મળતું હોતું નથી.
દુનિયામાં અબજો લોકો છે પણ કોઈ એક વ્યક્તિ આપણી ખાસ હોય, એના જેવી બીજી વ્યક્તિ કદાપિ આપણને મળતી નથી.
દરેક વ્યક્તિ અનોખી હોય છે અને એથી પણ અનોખી હોય છે આપણી તેના સાથેની રિલેશનશિપ.
એક મિત્ર કે સંબંધીના ગયા પછી અનેક લોકો સાથે મૈત્રી બંધાતી હોય છે, સંબંધો વિકસતા હોય છે પણ પેલા મિત્ર કે સંબંધીની જે ખોટ હોય છે તે તો ક્યારેય પૂર્ણપણે પુરાતી નથી હોતી.
જી હા, હું એવી જ કોઈ વ્યક્તિ વિષે વાત કરી રહ્યો છું જે આ પોસ્ટ વાંચતી વખતે સતત તમારી નજર સમક્ષ હાજર થઇ ગઈ હતી ...
અને એટલે જ કહી શકાય કે રિલેશનશિપમાં રિપ્લેસમેન્ટની સુવિધા હોતી નથી.
.
સાચું ને દોસ્તો ???

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.