રવિવાર, 22 જાન્યુઆરી, 2012

મૌન ઘૂઘવાટ...


ક્યારેક જીવન માં એવો અનુભવ પણ થાય છે...
જાણે કોઈ એક વિરાટ સાગર એકાએક ઘૂઘવાતો બંધ થઇ ગયો હોય...
ધોમધખતા ઉનાળાની બપોર નાં સમયે એક મોટા બુલડોઝર નો ધમધમાટ એકાએક શાંત થઇ જાય...
જાણે એક મોટી જવાબદારી નો બોજ એકાએક હળવો થઇ ગયો હોય...
પર્વતો પર જઈએ અને ત્યાંથી કોઈક નાં "ના હોવાનો" એહેસાસ લઇ પાછા ફરીએ...
.
એક અગમ્ય,
અકળ,
નાં સમજાય તેવું થવા લાગે...
.
છન સે જો તૂટે કોઈ સપના,
જગ સુના સુના લાગે.
તુજે ભૂલા દિયા..  વગેરે જેવા ગીતો એકાએક ગમવા લાગે...
.
"તારી ખુશી થી વધારે મારા માટે બીજું કઈ નથી.."
એવા વચનોને પાળવા માટે કોઈને કહી નાં શકાય અને અંદર ને અંદર ઘૂઘવાતા સાગરને "વહી જતો" રોકી પણ નશકાય...!!!
.
આટઆટલું થતું હોવા છતાં પણ કોઈ એક દ્રશ્ય આંખ આગળથી ખસે જ નહિ...
.
ઇમારતોની ભવ્યતા,
ભારતીય સંસ્કૃતિની સતત ઉપાસના,
એક દિવ્યતા જેને પ્રત્યક્ષ અનુભવી શકાય..
.
.
હવે બીજું શું લખું ?
આપ તો શાણપણ નો ભંડાર છો...
થોડા માં ઘણું સમજી જ શકો છો...
.
આપનો 
નીરવ જાની "પવન" 
.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.