શનિવાર, 19 એપ્રિલ, 2014

આનંદ દાયક રુદન...!!

નમસ્કાર મિત્રો.

          આજે મારી ભાણકી વિચિત્ર અવાજ કાઢી ને રડતી હતી અને અચાનક મને આ વાત યાદ આવી.

રુદન એ કેટલી લાભદાયક ક્રિયા છે ?
દરેક રુદન પાછળ હંમેશા કોઈક ને કોઈક દર્દ છુપાયેલું અનુભવાય છે.
ક્યારેક કોઈ કારણ સાથે રડતું હોય તો ક્યારેક અકારણ પણ રડતું હોય...!!
"અકારણ રુદન" શબ્દ વાંચીને આશ્ચર્ય જરૂર થયું હશે,
અને થવું જ જોઈએ...
કેમ કે ભલા કારણ વગર કોઈ રડતું હશે ?
પણ વાત જ કઈક એવી છે કે જે મારા સમજ માં પણ જલ્દી ન હતી આવી.

બન્યું એવું કે થોડા સમય પહેલા અમદાવાદ મુકામે એક ઓશો પ્રેમી મિત્ર નાં ઘરે જવાનું થયું.
મારા અન્ય કામ પતાવીને હું અમદાવાદથી પરત આવવા નીકળતો હતો ત્યાં જ એ મિત્ર નો ફોન આવ્યો "નીરવ તું અમદાવાદ માં જ છો ?" મેં આશ્ચર્ય સાથે એને પૂછ્યું કે "હા, પણ તને કેવી રીતે ખબર પડી ?"
તો એ કહે ,"યાર આજે રુદન સમય માં એવો વિચાર આવેલો કે તું અમદાવાદમાં જ છે...!!"
મિત્રના જવાબે તમારી જેમ મને પણ આશ્ચર્ય માં ગરકાવ કરી દીધો...
મેં માંડ કરીને સ્વસ્થતા જાળવતા પૂછ્યું કે "રુદન સમય માં... એટલે ?"
તો એ મિત્ર અત્યંત આગ્રહ ભર્યા સ્વરે કહે "તું ઘરે આવ પછી બધી વાત."
હું મારા બસ સ્ટોપ પર જવાના બદલે રીક્ષા કરીને સીધો એ મિત્ર નાં ઘરે પહોચી ગયો.
શિયાળા ની કડકડતી ઠંડીમાં પણ તેણે મને "કોલ્ડ કોફી" પીવરાવી અને પોતે પણ પંખો શરુ કરીને મારી સાથે વાતો એ વળગ્યો.
મેં પૂછ્યું "હવે બતાવ, આ રુદન સમય એટલે શું ?"
મિત્ર એ જવાબ આપ્યો "રુદન સમયમાં અમે ઘરના બધા સભ્યો સાથે બેસી ને મન ભરીને રડીએ. એટલું બધું રુદન કે છેલ્લે સમાધી સ્થિતિ નો આભાસ થાય...!!"

મિત્ર ઓશો પ્રેમી હતો અને મેં પણ ઓશો નાં કેટલાક પુસ્તકોનું વાંચન કર્યું હોવાથી ધ્યાન સુત્ર, ભગવાન ઓશો, સંભોગ થી સમાધી જેવા અનેકવિધ વિષયો થી સુપેરે પરિચિત હતો જ, પણ આ રુદન થી સમાધી એ કૈક અજુગતું લાગ્યું.
એટલે મેં વિસ્તાર થી જણાવવા કહ્યું.
(એ ચર્ચા તો લગભગ ૧ કલાક સુધી ચાલી પણ એ માંથી તારવેલા કેટલાક અંશો જ અહિયાં રજુ કરું છું.)
- રુદન એ તન-મન ને તાજગી આપનાર ક્રિયા છે.
- જીવન માં કોઈ પણ ક્રિયા કરો એ દિલથી કરો તો ચોક્કસ સમાધી અવસ્થા પ્રાપ્ત થાય, પછી ભલે ને એ રુદન જ કેમ નાં હોય ?
- દરરોજ અડધો કલાક રુદન કરવાથી તન-મન ને તાજગી ઉપરાંત ફેફસાં , હૃદય , રૂધીરાભીસરણ તંત્ર વગેરે ને લગતા રોગો માં રાહત થાય છે.
- ક્રોધ , ઈર્ષા , ચિડીયાપણું વગેરે દૂર થાય છે.
- બહુ મોટેથી નહિ એવીરીતે મધ્યમ અવાજ કાઢીને એકસાથે રુદન કરવું જોઈએ.
- રુદન દરમ્યાન જેટલા પણ આંસુ આવે તેણે લુછવા નાં નહિ. ગાલ પરથી વહેવા દેવા...!!
- રુદન દરમ્યાન એ તમામ વિચારો ત્યજી દેવા જેનાથી આપણું મન સખત દુ:ખ અનુભવે.

અને અંત માં એ મિત્રએ એક બહુ સુંદર વાત કરી,
મને કહે "નીરવ, મારા ઘરે દીકરી નાની થઇ ત્યારે હું દવાખાને હતો,
અને દીકરીનું પહેલું રુદન સાંભળીને એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે દરેક રુદન ની પાછળ હંમેશા કઈ દુઃખ જ નથી હોતું, ક્યારેક એ રુદન ખુશીઓ નું પણ હોય છે. જેમ કે, મારી દીકરીનો જન્મ અને એનું રુદન એ અમારા આનંદનું કારણ....!!"

મન માં સન્નાટો થઇ ગયો (અત્યારે જેમ તમારા મનમાં થયો,   બરાબર એમ જ તો  ... !!) 

1 ટિપ્પણી:

  1. અજ્ઞાતએપ્રિલ 21, 2014

    It's such nice to spend time wd ur own self u can understand ur self really vry well...
    it's heart touching...

    જવાબ આપોકાઢી નાખો

Please comment with your own opinion.