સોમવાર, 4 મે, 2015

બોધકથા - 1

આજની બોધકથા. (1)


   
          જેમને સત્કાર્ય કરવાની ઈચ્છા હોય તેને માર્ગ અને દર્શન આપોઆપ, ઈશ્વરીય સંકેતથી મળી રહેતા હોય છે અને તેથી જ તેમના જીવનકાર્યની પગદંડી જાતે જ વિશાળ પથ બની જાય છે.
          આંધ્ર નો તેલંગાણા (આજનું સિમાન્ધ્ર) વિસ્તાર પહેલાથી જ સામ્યવાદી અશાંતિ માટે કુખ્યાત છે. 1940 ની અપ્રિલ ની 18 મી તારીખ (આજથી પુરા 75 વર્ષ પહેલા) વિનોબાજી ગાંધી આશ્રમ માં અહિંસાના પાઠ ભણતા હતા ત્યારે પોચમપલ્લી - જે સામ્યવાદીઓ નો ગઢ કહેવાય - એ વિસ્તારમાં પાંચસો જેટલા ખૂન થયા હતા એટલે વિનોબાજી અહીં 'અહિંસા' ની સમજ માટે આવ્યા હતા.
          પોચમપલ્લીની ગ્રામસભામાં સોળ હરીજન પરિવાર, એકસો જેટલા અન્ય જમીનદાર પરિવાર હાજર હતા. હરિજનોની દલીલ હતી - એમને કુટુંબ દીઠ પાંચ એકર જમીન મળે તો કામ અને અન્ન મળી જાય અને કલહ શાંત થઇ જાય - ગામમાં જમીન માત્ર જમીનદારો પાસે જ હતી. અને એને જ કારણે લૂંટ - ચોરી - ખૂન નો સિલસિલો ચાલતો હતો.
          વાત સાચી હતી. એટલે વિનોબાજી એ કહ્યું "ગામમાં એંસી એકર જમીન મળે તેવા હું સરકારમાં પ્રયત્નો કરીશ તમે મને અરજી આપો. પણ લોકોને સરકારમાં શ્રદ્ધા ન હતી. ક્યારે મળે ? ક્યા મળે જેવા પ્રશ્નોની ચર્ચા ચાલી. ત્યાં જ રામચંદ્ર રેડ્ડી નામનાં જમીનદારે પોતાની એકસો એકર જમીન વિનોબાજી ને દાનમાં આપીને કહ્યું , "તમારા શાંતિ માટેના પ્રયાસનું મારા તરફથી ઇનામ...!!"
          અને ભૂમિદાન મહાયજ્ઞ નાં પ્રથમ હવિની પોચમપલ્લી થી શરૂઆત થઇ. વિનોબાજીને નવો પ્રકાશ, નવી દિશા મળી. અહિંસાનો સાક્ષાત્કાર થયો.
          જો સત્કાર્ય કરવા માટે અંતરથી ઈચ્છા હોય, અને આપણું એ સત્કાર્ય સમગ્ર સમાજ ને પણ બહુ સારી રીતે ઉપયોગી થવાનું હોય તો એ સત્કાર્ય માટેની મદદ ની વ્યવસ્થા, ઈશ્વર પોતે જ કરી આપે છે. 

સુપ્રભાતમ  _/\_

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.