ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

વરસાદ અને સ્વાર્થી લોકો

છેલ્લા કેટલાંક દિવસોથી વરસતાં ધોધમાર વરસાદને આજે વહેલી સવારે હથેળીમાં લીધો ત્યારે એ કંઈક શીખવી ગયો....

આજનો વરસાદ શીખવી ગયો કે
તમારું જયાં, જેટલું કામ હોય અને એ પૂરું થાય એટલે ત્યાંથી તાત્કાલિક નીકળી જવું. નહીંતર તમારું માન તો ઘટે જ પણ ઉલ્ટાનું ગાળો ખાવાનાં પણ વારા આવે...

વરસાદે કહ્યું, "આજનાં લોકો ખૂબજ ગણતરી બાજ છે. લોકોને તમારું જેટલું કામ હશે એટલો જ તમારો સ્વિકાર કરશે..."

વધુ વખત ઘરમાં લાશ પણ ન રાખવા ટેવાયેલી આ માણસ જાત કોઈને વધુ વખત યાદ પણ રાખી શકતી નથી...!!

અંગ્રેજીમાં એક વાત છે,
Everything in this world,
cross the limits,
becomes poison...

મર્યાદાની બહારનું બધુ જ ઝેર છે.
એ પ્રેમ હોય,
નફરત હોય
કે પછી વરસાદ.

આપણને બધાને કોઈ પણ પ્રવૃત્તિમાં દાખલ થતાં ખુબજ સુંદર રીતે આવડે છે પરંતુ એમા કેટલો સમય રહેવું અને ક્યારે નીકળી જવું એનો વિવેક આપણી પાસે નથી હોતો અને એટલે જ પરિણામ એ આવે છે કે આપણી વિદાય સુખદ હોવાને બદલે પીડા દાયક વધુ રહે છે...

૨ મહિના પહેલાં જેની કાગ ડોળે રાહ જોતાં હતાં એવાં વરસાદની આજે જવાની પ્રાર્થના કરીએ છીએ...

કદાચ આને જ 'વહેવાર' કહેતાં હશે...!!

આપણે એટલું ખાસ સમજી લેવું કે આપણે પણ આ પૃથ્વી પર વરસાદ જેવાં જ છીએ.
જેવું કામ પૂરું થયું કે તરત 'Pack-up' .
#ViaWhatsApp  #Sanskritwala

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.