બુધવાર, 14 માર્ચ, 2018

માર્ચ 14

      તમારું કામ નવું સ્વર્ગ અને નવી ધરા સર્જવાનું છે, એટલે મુશ્કેલીઓ ને સંકટો, રોગ અને પીડા, દુનિયાના સંઘર્ષો અને યુદ્ધો વિશે વાગોળ્યા ન કરો.
તમારી જાતને એમાં ગુથાવા ન દો; તમે એમ કરશો તો તમે રોગનો ભાગ બનશો, ઉપચારનો નહિ.
તમારી ચેતનાને તમે ઊચે લઈ જશો ત્યારે દુનિયાની તકલીફોની અસરથી તમે મુક્ત બનશો.
પછી , તમારી આસપાસ જે બધું છે તેની સાથે તમે જીવશો અને તેનો સાથે કામ કરશો, છતાં અે તમને કોઈ રીતે સ્પર્શશે કે અસર કરશે નહિ.
અતિશય ચેપી રોગો વચ્ચે મુક્તપણે કામ કરવા માટે ડોક્ટર કે પરિચારિકા એના પ્રભાવથી અસ્પૃષ્ટ હોવા જોઈએ અને એમનામાં ભય તો બિલકુલ હોવો જ ન જોઈએ.
દુનિયાની પરિસ્થિતિને તમે વણસતી જુઓ ત્યારે જરા પણ ભય ન પામો.
કદી હતાશ ન થાઓ.
ફકત શ્રદ્ધાને વળગી રહો.
તમારું મન મારામાં સ્થિત રાખો અને જાણો કે બધું જ બરોબર, એકદમ બરોબર છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.