મંગળવાર, 13 માર્ચ, 2018

માર્ચ 13

     તમારા મનને ફરી નવું બનાવવા થકી તમારું રૂપાંતર થાઓ.'
સાપ એની જૂની કાચળી ઉતરી ન નાખે તો વૃદ્ધિ પામી શકે નહિ.
કોચલું તોડ્યા વિના મરઘીનું બચ્ચું ઈંડામાંથી બહાર નીકળી શકે નહિ.
માના ગર્ભમાંથી બહાર નીકળી આવ્યા  વિના બાળક જન્મી શકે નહિ.
પરિવર્તન માટેની આ કુદરતી પ્રક્રિયાઓ છે.
આ પ્રક્રિયાઓ પોતાના ક્રમ પ્રમાણે બને છે અને એને કશું અટકાવી શકતું નથી.
જો બચ્ચાંમાં કોચલું તોડીફોડી ને બહાર નીકળી આવવાની શક્તિ ન હોય તો એ મરી જાય.
દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે.
તમે અે પરિવર્તનોને આવતા અટકાવવાનો પ્રયત્ન કરી શકો, કારણ કે તમે જ્યાં છો ત્યાં તમને સલામતી ને સુરક્ષિતતા અનુભવાય છે અને અજ્ઞાતમાં સંચાર કરવાને બદલે તમને જે જ્ઞાત છે એની મર્યાદામાં રહેવાનું કદાચ તમે વધુ પસંદ કરો; પણ અે બંધનમાં તો તમે ગૂંગળાઈ ને મારી જશો.
અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બધાની સાથે બદલવાની જરૂરિયાતને સમજો અને સ્વીકારો.
તમારા હૃદયને ઉપર ઊચકી લો, આ પરિવર્તન માટે આભાર માનો અને એના ભાગરૂપ બનો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.