શનિવાર, 17 માર્ચ, 2018

માર્ચ 17

     તમને સઘળું જ્ઞાન અને સઘળું શાણપણ એકી વારે ન મળે.
અે ધીરે ધીરે અંદરથી ઉદ્દઘાટીત થાય.
જીવન અે સતત થઈ રહેલું ઉદ્દઘાટન છે.
તમે બાળક હતા ત્યારે તમારે કેટલાક પાયાના નિયમો શીખવાના હતા.
આગ ને અડવા તમે હાથ લંબાવતા ત્યારે તમને કહેવામાં આવતું કે અે બહુ ગરમ છે, એનાથી દાઝી જવાશે.
પણ તમે જો અે વાત માની ન હોય અને પોતાની મનમાની કરીને આગને અડ્યાં હો તો દાઝી ગયા હો અને તમેં ખૂબ પીડા થઈ હોય.
એમ છતાં, એમાંથી તમે, ફરી એને ન અડવાનું તો શીખ્યાં જ હો.
આ આધ્યાત્મિક જીવનમાં કેટલાક પાયાના પાઠ શીખવાના છે.
તમે એનું પાલન ન કરો તો એના પરિણામ તમારે ભોગવવા પડે.
કેટલાક લોકો બહુ ઝડપથી શીખે છે એન વધુ મોટા પાઠ શીખવા તૈયાર હોય છે અને છેવટ જતાં તેઓ એવો સુર મેળવે છે કે પછી તેમણે પાઠ શિખવાપણું રહેતું નથી.
પછી તેઓ પૂર્ણ સંવાદિતામાં, પ્રત્યેક વસ્તુ સાથે એકરૂપ થઈને જીવન સાથે વહે છે.
ચેતનાની આ પરમોચ્ય અવસ્થા છે, જ્યાં છેવટે દરેકે પહોંચવાનું છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.