ગુરુવાર, 8 માર્ચ, 2018

માર્ચ 08

      આ દુનિયામાં તમે કંઇક શુભ લાવવા માટે છો.
જરૂરત સર્વ જીવો પ્રત્યે પ્રેમ, પ્રકાશ અને શાણપણ પ્રસરવા માટે તમે અહી છો.
તમારે કાર્ય કરવાનું છે અને આ કાર્ય તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે તમારી પોતાની જાતને વ્યવસ્થિત કરી હોય અને અખિલ સાથે એકરૂપ થઈ શક્યા હો; જ્યારે તમે દૂર ઊભા રહી, અખીલાઈથી તમારી જાતને અળગી પડતા ને ટીકા કરતા ન હો.
તમારી આસપાસના બધા લોકો સાથે તમને એકાત્મતા લાગે છે?
દુનિયામાં સંબંધે તમારામાં શાંતિ છે કે તમારા વિચારો સંઘર્ષાત્મક, ટીકાત્મક, વિનાશાત્મક છે?
હમેશાં યાદ રાખો કે પ્રેમ, આનંદ અને સુખ એક સુયોગ્ય વાતાવરણ સર્જે છે અને સમાન વિચારના લોકોને નજીક ખેચી લાવે છે.
એટલે તમારું પોતાનું નિરીક્ષણ કરો અને આ પળથી જ, કેવળ ઉત્તમોત્તમ ને તમારા ભણી આકર્ષવાનું શરૂ કરી દો.
આંખના પલકારામાં તમે તમારાં વલણ ને દૃષ્ટિબિંદુ બદલી શકશો.
તો, આવું કેમ ન કરો?
સમગ્ર જીવનના સૂર સાથે સૂર મિલાવો અને સઘળી સમજણની પાર જે શાંતિ રહેલી છે તે પામો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.